ઉદ્યોગજગતના પિતામહ અને ‘અણમોલ રતન’ રતન ટાટાનું અવસાન

ભારતીય ઉદ્યોગજગતના પિતામહ અને ‘અણમોલ રતન’ રતન નવલ ટાટાનું બુધવાર, 9 ઓક્ટોબરની રાત્રે 11 વાગ્યે 86 વર્ષની જૈફ વયે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થતાં સામાન્ય માણસથી લઈને નેતાઓ તથા ઉદ્યોગજગતમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મુઠ્ઠી ઊંચેરા માનવી અને વિનમ્ર ઉદ્યોગપતિની નામના ધરાવતા રતન ટાટાના કુશળ નેતૃત્વ હેઠળ ટાટા ગ્રુપે મીઠાથી લઈને સોફ્ટવેર સહિતના વિવિધ ક્ષેત્રમાં પાયે પાયે વિસ્તરણ કર્યું કરીને ટાટા ગ્રુપને એક બહુરાષ્ટ્રીય ગ્રુપ બનાવ્યું હતું. રતન ટાટાના નિધન અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિતના નેતાઓ તથા સચિન તેડુંલકર સહિતના ખેલાડીઓ અને ઉદ્યોગજગતના લીડરોએ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી.

ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને એક નિવેદનમાં ટાટાના નિધનની પુષ્ટિ કરી હતી. ટાટાને પોતાના મિત્ર અને માર્ગદર્શક ગણાવતાં ચંદ્રશેખરને જણાવ્યું હતું કે, તેમના નિધનથી જૂથને ક્યારેય ના પુરાય તેવી ખોટ પડી છે.

ભારતીય ઉદ્યોગ જગતના મહાર ગણતા રતન ટાટા ૨૦૧૨માં દેશના અગ્રણી અને પ્રભાવશાળી ટાટા સન્સના ચેરમેન બન્યા હતા. તેમના કાર્યકાળમાં ટાટા જૂથે વૈશ્વિક સ્તરે વિસ્તરણ કર્યું હતું. ટાટા જૂથને ટેટલી, કોરસ અને જેગુઆર લેન્ડ રોવર જેવી વૈશ્વિક કંપનીઓ હસ્તગત કરવા સાથે જૂથને સ્થાનિક ઔદ્યોગિક ગૃહમાંથી ‘વૈશ્વિક પાવરહાઉસ’ બનાવ્યું હતું. ટાટાના નેતૃત્વ હેઠળ ટાટા ગ્રુપે સામાન્ય માણસ પાસે કાર હોય તેવા સપના સાથે વિશ્વની સૌથી સસ્તી કાર નેનો લોન્ચ કરી હતી. ઉપરાંત, ટીસીએસને વૈશ્વિક સ્તરે આઇટી ક્ષેત્રમાં આગેવાન બનાવ્યું હતું. રતન ટાટાએ ૨૦૧૨માં ટાટા જૂથના ચેરમેનપદેથી રાજીનામું આપ્યું હતું. તેમને ટાટા સન્સ અને અન્ય ગ્રૂપ કંપનીઓના ચેરમેન એમિરેટસનો હોદ્દો અપાયો હતો.

ભારતીય ઉદ્યોગજગતમાં મહત્વનું યોગદાન આપવા બદલ રતન ટાટાને 2000માં પદ્મ ભૂષણ અને 2008ની સાલમાં પદ્મ વિભૂષણ એમ દેશના બે સર્વોચ્ચ નાગરિક એવોર્ડથી સન્માનિત કરાયા હતાં.

રતન ટાટાના નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, તેમના વિનમ્ર સ્વભાવ, સમાજને બહેતર બનાવવાની પ્રતિબદ્ધતા અને ઉદારતાને કારણે તેઓ હંમેશા લોકોના હૃદયમાં જીવિત રહેશે. કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રતન ટાટાના નિધન અંગે શોક વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, તેઓ એક દિર્ઘદૃષ્ટિ ધરાવતાં મહામાનવ હતાં. તેમણે તેમના વિઝનથી ઉદ્યોગજગત અને માનવસેવા એ બંને ક્ષેત્રે અમીટ છાપ છોડી છે. રિલાયન્સ જૂથના મુકેશ અંબાણીએ પણ ટાટાના નિધન અંગે શોકની લાગણી વ્યક્ત કરી હતી.

યુએસ કોન્સ્યુલેટ મુંબઈએ ટ્વિટ કર્યું હતું કે અમે દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા, એક સ્વપ્નદ્રષ્ટા નેતા અને રાષ્ટ્રીય પ્રતિમાની ખોટ પર શોક વ્યક્ત કરીએ છીએ, જેમની નવીનતા અને પરોપકાર પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાએ ભારત અને વિશ્વને બદલી નાખ્યું છે. તેમનો વારસો આવનારી પેઢીઓને પ્રેરણા આપશે. અમે તેમનો પરિવાર, મિત્રો અને ભારતના લોકો માટે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ભારત સરકાર તરફથી ગુરુવારે મુંબઈમાં વરિષ્ઠ ઉદ્યોગપતિ રતન ટાટાના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ASEAN-ભારત અને પૂર્વ એશિયા સમિટમાં ભાગ લેવા માટે લાઓસ જવા રવાના થતાં અમિત શાહ સરકાર વતી ટાટાના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપશે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15

Comments on “ઉદ્યોગજગતના પિતામહ અને ‘અણમોલ રતન’ રતન ટાટાનું અવસાન”

Leave a Reply

Gravatar